Skip to content Skip to sidebar Skip to footer

Vaishnava Jan To Tene Re Kahiye Lyrics વૈષ્ણવ જન તો તેને કહિયે ગુજરાતીમાં

વૈષ્ણવ જન તો તેને કહિયે
કલાકાર - મનોજ દવે , નિનાદ મહેતા
શબ્દો - નરસિંહ મહેતા
મ્યુઝિક - બ્રિજ જોશી
લેબલ - કૃષ્ણ ભજન
તાલ -  કેહરવા

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે
વૈષ્ણવ જન તો તેને...

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને...

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને...

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને...

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે
વૈષ્ણવ જન તો તેને...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Vaishnav jan to tenere kahiye lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Vaishnava Jan To Tene Re Kahiye Lyrics વૈષ્ણવ જન તો તેને કહિયે ગુજરાતીમાં"