Skip to content Skip to sidebar Skip to footer

AAI NENE NINDAR NA MANE AAVTI LYRICS IN GUJARATI આઈ નેણે નીંદર ના મને આવતી

આઈ નેણે નીંદર ના મને આવતી
કલાકાર - પરેશદાન ગઢવી
શબ્દો - કવિ ભદુભા ગઢવી
ઉસ્તાદ - હસિયા ઉસ્તાદ , લાલદાસ દુધરેજીયા
તાલ - અજાણીતો


સાંજ હે પડેને સૂરજ આથમે રે લોલ
સાંજ હે પડેને સૂરજ આથમે રે લોલ
દિવસ મારો કેમ વીતી જાયરે
નેણે નિંદરા ના મને આવતી રે લોલ

કોઈની વાત માજો આવે આવેલી વાતડી રે લોલ
કોઈની વાતું માં આવેલી વાતડી રે લોલ
તો એની યાદમાં મરે વીતે આખી રાત જો
નેણે નિંદરા ના મને આવતી રે લોલ
સાંજ હે પડેને સૂરજ આથમે રે લોલ

આ મન ની મજબૂરી જાણે આ માંયલો રે લોલ
મન ની મજબૂરી જાણે આ માંયલો રે લોલ
કોને કહું આવી વિરહ તણી વાતરે
નેણે નિંદરા ના મને આવતી રે લોલ
સાંજ હે પડેને સૂરજ આથમે રે લોલ

આંસુથી ભરેલ મારી આખડી રે લોલ
આંસુથી હે ભરેલ મારી આખડી રે લોલ
ના પૂછો તમે દાઝેલા દલના હાલ રે
નેણે નિંદરા ના મને આવતી રે લોલ
સાંજ હે પડેને સૂરજ આથમે રે લોલ

સુખ રે હતું એની સંગાથ મારે લોલ
સુખ રે હતું એની સંગાથ મારે લોલ
હવે જીવતર બન્યું છે ખારું ઝેર રે
નેણે નિંદરા ના મને આવતી રે લોલ
સાંજ હે પડેને સૂરજ આથમે રે લોલ

તારી યાદ રે આવે રે ઇ દિવસો રે લોલ
તારી યાદ આવે ઇ મને દિવસો રે લોલ
આ ભદુભા એના ભણકારા સંભળાય રે
નેણે નિંદરા ના મને આવતી રે લોલ
સાંજ હે પડેને સૂરજ આથમે રે લોલ

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "AAI NENE NINDAR NA MANE AAVTI LYRICS IN GUJARATI આઈ નેણે નીંદર ના મને આવતી"